Wednesday, October 24, 2012

નવરાત્રિ: ભારતીય સંસ્કૃતિ ના પરિપ્રેક્ષ્યમાં


 નવરાત્રિ: ભારતીય સંસ્કૃતિ ના પરિપ્રેક્ષ્યમાં 

- ચિંતન પટેલ 
 આપણા તહેવારો એ આપણા ઋષિમુનિઓ અને પૂર્વજો તરફથી આપણને મળેલી અણમોલ વિરાસત છે. શારદીય નવરાત્રિ ના નવે નવ દિવસ આપણે ગીત અને ગરબા તો ભરપૂર માણીશુ જ, પણ જાણી ને માણવાની મજા જ કાંઈ ઓર હોય છે. તો આવો નવરાત્રિ ના તહેવાર વિષે થોડુ જાણી પણ લઈએ.

ઐતહાસિક પરિપ્રેક્ષ્ય :


નવરાત્રિ એટલે શક્તિપૂજા, શક્તિ નો અખૂટ ભંડાર સમી માં દુર્ગા ની અભ્યર્થના. આપણને બાકીના 355 દિવસ ચલાવનારી એ શક્તિ – સત્તા ને પુજવાનો અને આભાર પ્રગટ કરવાનો અવસર છે. આપણા શાસ્ત્રોમા શક્તિ નુ ઘણા અલગ-અલગ નામ તથા રૂપ માં વર્ણન છે. શક્તિપૂજા એ પૂજા ની સૌથી પ્રચલિત પદ્ધતિ રહી છે. નવરાત્રિ નું આજનુ પ્રચલિત રૂપ ક્યારથી અમલમાં આવ્યુ તે અંગે ઘણા મતભેદો છે. પરંતુ ઐતહાસિક રીતે જોતા દેવીપૂજાનો છેડો છેક ઉત્તર પાષાણયુગ માં ઈ.સ. પૂર્વે 20,000 માં મળે છે, તે કાળ ની થોડીક ભગ્ન મૂર્તિઓ ઉત્તર પ્રદેશ નાં અલાહાબાદ નજીક મળી આવેલ છે. નૂતન પાષાણયુગ માં પણ ઈ.સ. પૂર્વે 5500 ની આસપાસ આજે પાકિસ્તાન ના બલૂચિસ્તાન વુસ્તાર માં આવેલા મહેરગઢ માંથી દેવી પ્રતિમાઓ મળી આવેલી છે.   
      
Mehrgarh Statuettes; Courtesy – Wikimedia Commons; Source: Denis Biette )
                                                                              
 સિંધુ ખીણ ની સંસ્ક્રુતિ કે હરપ્પા સંસ્કૃતિ માં સૌથી વધુ મૂર્તિઓ જો કોઈ ની મળી હોય તો તે દેવી ની છે! પરંતુ જો શાક્ત સંપ્રદાય ની વાત કરીએ તો વ્યવસ્થિત અને સુનિયોજીત શક્તિપૂજા ભારત માં ગુપ્તકાળ (ઈ.સ. 300-700 ) માં શરુ થયેલી જણાય છે, એવુ ઈતિહાસવિદ શ્રી એમ. સી. જોષી નું તારણ છે. ત્યારથી લઈને આજ સુધી શાક્ત સંપ્રદાય વિકસતો રહ્યો અને તેનું સાહિત્ય પણ રચાતુ ગયુ.  આજે ખૂબ જ પ્રચલિત અને જ્ઞાનસભર એવો ચંડીપાઠ કે દુર્ગા સપ્તશતિ પણ ગુપ્ત કાળ માં જ રચાયો હોવાનુ જોષી સાહેબ નું માનવુ છે. પરંતુ શક્તિ સંપ્રદાય ના પ્રચાર-પ્રસારનું સૌથી ભગીરથ કાર્ય શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા થયુ છે. તેમની સૌંદર્યલહેરી વાંચીને તો આજે નવરાત્રિના નામે મોર્ડનાઈઝેશન અને અંગપ્રદર્શન ની કાગારોળ કરતા મનથી બુઢ્ઢા અને અક્ક્લથી આંધળા ગુજરાતી અસ્મિતા ના કહેવાતા રખેવાળો કદાચ શંકરાચાર્ય ને જેલ માં નંખાવી દે! પણ સૌંદર્યલહેરી સંસ્કૃત માં હોવાથી થોડી શાંતિ છે!!

પૌરાણિક પરિપ્રેક્ષ્ય : 

આતો થઈ નવરાત્રિ ની ઐતહાસિક પશ્ચાદભૂ ની વાત, પણ નવરાત્રિ શા માટે અને કેવી રીતે ઉજવવી એ પણ એક રોચક કથા છે. દેવી પુરાણ અનુસાર નવરાત્રિ એ નવ-રાત્રિ ઓ નો, આદિ શક્તિ ના નવ અલગ-અલગ સ્વરૂપો ને સમર્પિત નવ દિવસ રાત્રિઓ નો તહેવાર. નવ રાત્રિ ની નવે નવ રાત્રિઓ માં દુર્ગા ના એક એક સ્વરૂપ ને સમર્પિત છે. પ્રથમ રાત્રિ - માતા આદ્યકુમારી,  બીજી રાત્રિ - માતા બ્રહ્મચારિણી, ત્રીજી રાત્રિ – માતા ચંદ્રઘંટા, ચોથી રાત્રિ – માતા કુષ્માંડા, પાંચમી રાત્રિ – માતા સ્કંદદેવી, છઠ્ઠી રાત્રિ – માતા કાત્યાયાની , સાતમી રાત્રિ – માતા કાલરાત્રિ, આઠમી રાત્રિ – માતા મહાગૌરી અને નવમી રાત્રિ – માતા સિધ્ધિદાત્રિ.  એક અન્ય પ્રચલિત માન્યતા અનુસાર આ નવ રાત્રિ ઓ જગત ની ત્રણ મહાશક્તિઓ ને સમાન રૂપે સમર્પિત કરવામાં આવી છે. એક થી ત્રણ રાત્રિ મહીશાસુર મર્દિની મહાકાળી ને, ચાર થી છ રાત્રિ મહાલક્ષ્મી ને અને છેલ્લી ત્રણ રાત્રિ મહાસરસ્વતિ ને! જ્યારે સાધક સાધના શરૂ કરે છે ત્યારે તે દરેક જાતના વિકારો અને દુર્ગુણો થી ખદબદતો હોય છે. તેથી પ્રથમ ત્રણ દિવસ માં( સાધના ના પ્રથમ તબક્કામાં ) માતા મહાકાલી પોતાના વિકરાળ સ્વરૂપે બધા જ દુર્ગુણો નો વિનાશ કરે છે. ચંડીપાઠ માં વર્ણવેલ દાનવો કોઈ બહારના નહીં પણ આંતર રિપુઓ જેવા કે કામ, ક્રોધ વગેરે ના રૂપક જ છે! આમ આંતરિક શુધ્ધિ પામેલો સાધક હવે સદગુણોરૂપી આધ્યાત્મિક સમૃધ્ધિ ને પામવા લાયક બને છે.  સાધના ના આગળ ના ચરણ માં માતા મહાલક્ષ્મી તેને પોતાના સર્વોચ્ચ ખજાના થી ન્યાલ કરી મૂકે છે. શક્તિકૃપા થી હવે  જેને સંસારમાં કાંઈ પામવાનુ રહેતુ નથી એવો શક્તિ નો સાધક હવે પરમ જ્ઞાન સંપાદન કરવા લાયક બને છે. સાધના નાં અંતિમ પડાવ પર તે માતા મહાસરસ્વતી ની કૃપા પ્રાપ્ત કરીને ઉચ્ચ્તમ જ્ઞાન ને પામે છે. આમ, નવરાત્રિ એ સાધક ના સર્વાંગી વિકાસ અને તેની સાધના ની ઉત્ક્રાંતિ નું પર્વ છે!

તાર્કિક કે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય : 

દંતકથાઓ અને પૌરાણિક માન્યતઓ તો ઠીક પણ ભારત ના ઋષિ ની વાત હોય અને કોઈ લોજીક કે વૈજ્ઞાનિક આધાર ન હોય? નો વે!! સૌ પ્રથમ તો બન્ને નવરાત્રિઓ ચૈત્ર નવરાત્રિ અને  આસો નવરાત્રિ કે મહાનવરાત્રિ અનુક્રમે વસંત અને શરદઋતુ નાં પ્રારંભે આવે છે. મતલબ કે કાળચક્ર ના સંધિકાળે, વર્ષ નો આ એવો  સંધિકાળ છે કે જ્યારે સૂર્ય ની મેષ અને તુલા માં સંક્રાંતિ થાય છે. ટુંકમાં આ બન્ને વખતે સૂર્ય લગભગ પ્રુથ્વી ના વિષુવ ભાગે હોય છે, એટલે કે દિવસ અને રાત લગભગ સમાન હોય છે. ગ્રેગોરિયન કેલેંડર મુજબ 21 માર્ચ અને 21 સપ્ટેમ્બર ની આજુબાજુ નો સમય!


 લગભગ દરેક ધર્મ માં અને સાયંસ મુજબ પણ સંધિકાળ એ પ્રાર્થના અને આરાધના માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે. અમુક લોકો ના માનવા મુજબ તો હિંદુ ધર્મ માં થતી સંધ્યા પ્રાર્થના નુ આ મૂળ કારણ છે. આરોગ્યશાસ્ત્ર ના મત અનુસાર આ નવ દિવસ બ્રહમાંડ માં ઉર્જા નુ વધુ પ્રમાણ હોય છે જેથી શરીર માં છ મહીનાથી એકઠો થયેલો કચરો બહાર ફેંકવાની ક્રિયા વધુ ઝડપે થાય છે, જેથી આ દિવસો માં સામાન્ય તાવ, શરદી, કફ વગેરે વધુ રહે છે. તો ગાણિતીક અને આરોગ્ય ની દ્ર્ષ્ટિ એ પણ નવરાત્રિ માં ઉપવાસ અને સાધના નું  અનેરુ મહત્વ છે.

યોગ સાયંસ પરિપ્રેક્ષ્ય : 

યોગ સાયંસ મુજબ નવરાત્રિ એ મનુષ્ય ની ચેતના ના જાગરણ, ઉત્થાન અને પૂર્ણતયા વિકાસનું પ્રતીક છે. મનુષ્ય ના મૂલાધાર શરીર માં સુષુપ્ત પડેલી પ્રાણો ના “નૃત્ય” (રીધમિક આંદોલનો) ના પ્રહાર થી આળસ મરડી ને જાગરણ પામે છે. આ જાગરણ પામેલી આદિશક્તિ સુષુમ્ણા ના માર્ગે ઉર્ધ્વગતિ કરે છે જેમ જેમ આગળ જાય છે તેમ મનુષ્ય ના વિકારો અને શારિરિક અશુધ્ધિઓ અને બીમારીઓ નું ભક્ષણ કરે છે. આ ઉર્ધવગમન છેક નવમા ચક્ર સુધી ચાલુ રહે છે. નવમાં ચક્ર નુ6 ભેદન થયા બાદ જીવ શિવત્વ ની ખૂબ સમીપ પહોચી ગયો હોય છે. હવે તેને માત્ર એક જ અડચણ નો સામનો કરવાનો છે. અહંતા કે કર્તાપણુ એ આધ્યાત્મિક સાધના નું અંતિમ લક્ષ્યભેદન છે. કારણ કે માણસ બુરાઈઓ થી તો પીછો છોડાવી શકે છે પણ પોતાના અહં કે કતૃત્વ ને છોડવુ આસાન નથી. તેથી દસમા દિવસે અહંકાર ના પ્રતીક સમા રાવણ નું દહન કરીને અહંકાર ને જીતવા નો સંદેશો ઋષિ આપે છે!  આમ યોગ સાયંસ અનુસાર નવ રાત્રિ એ માનવ શરીર માં રહેલા નવ ચક્રો ( નર્વ સેંટર્સ ) ના પધ્ધ્તિસર ના અનુષ્ઠાન થકી ભેદન નું પ્રતીક છે.


આ નવ ચક્રો નાં નામ આ પ્રમાણે છે:

1) મૂલાધાર ચક્ર 2) સ્વધિષ્ઠાન ચક્ર 3) મણિપૂર ચક્ર 4) અનાહત ચક્ર 5) વિશુધ્ધ ચક્ર   6) આજ્ઞાચક્ર  7) સહસ્ત્રાર ચક્ર 8) વ્યાપિની અને 9) વ્યોમાંગ.

યંત્રશાસ્ત્ર પરિપ્રેક્ષ્ય : 

વિશ્વ ને મેથેમેટિક્સ અને જીઓમેટ્રી ની ભેટ આપનાર ભારતના ઋષિઓ એ વિકસાવેલ યંત્ર શાસ્ત્ર માં પણ આપણે સાધના નાં નવ સોપાન જોઈ શકીએ છીએ. પોતાના અદભુત ભૌમિતિક બંધારણ અને શક્તિ ના કારણે ચક્ર રાજ કહેવાતા શ્રી યંત્ર કે શ્રી ચક્ર માં પણ આપણે ચતુષ્ફલકીય આંતર્ગઠન પામેલા 9 ત્રિકોણ જોઈ શકીએ છીએ! જેમાંથી 4 ત્રિકોણ ઉર્ધ્વમુખી છે જયારે 5 અધોમુખી છે!

ઉર્ધ્વમુખી ત્રિકોણ એ પુરૂષ નું પ્રતિક છે જ્યારે અધોમુખી ત્રિકોણ એ પ્રકૃતિ કે દેવી સ્વરૂપ નું પ્રતીક છે. સૌથી મહત્વ ની વાત કે આ નવે નવ ત્રિકોણ સમરૂપ છે !! એટલેકે સ્ત્રી ને ગુલામડી, બીચારી કે બાપડી તો આપણા ધર્મો માં ઘૂસેલા સડા એ બનાવી છે, વેદિક કાળ માં સ્ત્રી ને પુરૂષ સમોવડી ગણાતી હતી, જેના ઘણા ઉદાહરણ આપણા ઉપનિષદ અને પુરાણો માં મળે છે! 

ટેક અ લૂક.... !!

નવ દુર્ગા, નવ ચક્ર, નવ ત્રિકોણ અને નવ ગ્રહો ઉપરાંત મેજીક નંબર 9 આપણે અહીં પણ જોઈ શકીએ છીએ :
  •       યોગ સાયંસ મુજબ મનુષ્ય ચાર શરીર ( સ્થૂળ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ ) અને પાંચ કોષ ( અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય ) નો બનેલો છે!

 

Monday, October 15, 2012

Is our God Dreaming?


Is our God Dreaming?

- Chintan Patel

Dream is the bridge that connects the tangible with intangible, unconsciously real world to the consciously unreal world. There has been ample of research on dream psychology by eminent psychologists, primary among them were geniuses like Freud and Jung. But, it still remains as mysterious as it has been for centuries. The most fascinating thing about dream is it looked real with all its attributes although we knew in our subconscious even while seeing it that this cannot be possible in reality!



This led me to think that what if the world we are living in is a dream by some extremely powerful and imaginative mind? Like dream, here also there are many things we could never understood, neither can we produce nor can destroy everything at our will, we have to follow the system provided to us on which we have very little or no control! We boast of developing some life changing technologies, but we could only done this by taking full help of natural resources (or dream infrastructure!). There are many things we could never change so, we had to accept that far greater power than us which governs this universe at its own will.  Our logical minds fought hard to deny it and still doing it but at last, as a ceasefire to that unmanageable war we named that entity as God and bow before it more in helplessness than in devotion. In our dream we cannot create our own world most of the time, it just 'comes' and we have no option but to accept it. We got the power of dreaming because we as the 'dream creation' are the part of the creator's subconscious mind and are made 'in his own image' as Bible put it. Also in the Hindu mythology we found a mention of Lord Brahma whose one day equals to many eons on earth. It can be considered as the precursor of Einstein's relativity theory which says when the person (or his mind!) travels with more velocity in space, the speed of time decreases relatively for him. Brahma as a creator of this world according to the Hindu mythology believed to have far more powerful mind than its creation. So, naturally his mind works more quickly than ours, as a result for him time travels too slowly for him than it travels on earth! Now imagine, unlike us the Generator of this wonderful dream consciously dreamed it, as an Operator maintains as well as manipulates his dream continuously and ultimately when he wants to end it, he adopts the role of Destroyer and dismantles his own creation to create entirely new dream. Being the sparks of that great eternal flame or being created in 'his' own image, we also inherit some of its qualities and with the time and appropriate training can rise to the level of creator itself, which is the essence of Hindu Vedantist philosophy.


Isn't it fascinating as well as depressing to think that we are nothing more than the 'dream creation' of some super-mind which could govern us at its free will? What become of our lovingly cherished dreams when we realized that we ourselves are nothing more than a trivial part of a dream? But, it isn't as gloomy as it seems when one enters the regime of devotion or Divine love, which is the essential element of every religion.  Because here one already accepts the omnipotent and omnipresent God who governs this world at his own will and loves him without asking anything in return. Gracefully accepting whatever the God provides him with. Having profound faith in the creator he always works with all his efforts but observes equanimity in results of his actions, because of the faith that whatever the God does to him would be ultimately for his own good. So, reaching at the sphere of love there is an inherent harmony between all religions, philosophies and science. Contradiction exists only at narrow perspectives and love is limitless by nature.

Saturday, October 13, 2012

એક ટુંકી વાર્તા : ગજરા ગોપી


ગજરા-ગોપી 

એમ. જી. શેઠ ની ત્રણ ત્રણ ટેક્ષ્ટાઈલ મિલો ધમધમતી હતી. પોતાના પિતાજી ગોપાળદાસ શેઠ તરફ થી મળેલી એક ‘સ્વરાજ મિલ’ ને મોહનદાસે પોતાના સ્વભાવ તથા કુનેહ થી ત્રણ ગણી કરી નાખી હતી.
મોહનદાસ અને યમુનાબેન ને સંતાનસુખ જીવન ની ઉત્તરાવસ્થા માં દીકરી સ્વરુપે પ્રાપ્ત થયુ હતુ. લાંબા દુકાળ પછી પધારેલા મેઘરાજા ના જેમ ઓર માનપાન હોય છે તેમ ગોપી ને પણ ‘ગોલોક’ માં ખૂબ જ વ્હાલ તથા પ્રેમ મળવા લાગ્યો. યમુનાબેન તો એનામા સાક્ષાત શ્રી કૃષ્ણ સહચારિણી ગોપી જ જોતા ! 

પણ ટોલ્સટોયે કહ્યુ છે તેમ “ દરેક સુખી પરિવાર સમાન રૂપે સુખી હોય છે પરંતુ દરેક દુખી પરિવાર પોતપોતાની રીતે દુખી હોય છે.” શેઠ પરિવાર નુ સુખ તો અન્યો જેવુ જ હતુ પણ તેમનુ દુખ ગોપી જેટલુ જ સ્પેશ્યલ અને અલગ હતુ.  

નાનપણ થી જ  ગોપી ને ક્દી ન જોયેલા એવા ચહેરાઓ સ્વપ્નમાં દેખાતા. ઘણીવાર તો દિવસે પણ અર્ધજાગ્રત પણે જાણે કાંઈક દૂર નુ દેખતી હોય તેમ તાકી રહેતી. ગોપી સમજણી થતી ગઈ તેમ તેનું આ વિચિત્ર વ્યાધિ પણ વધવા લાગ્યુ. ચિંતાતુર શેઠે તેમના મિત્ર અને સાયકોએનાલિસ્ટ ડો. પરીખ ને ગોપી વિષે વાત કરી. ડો. પરીખે પૂરતી વિગતો જાણ્યા પછી જણાવ્યુ કે “ મોહનભાઈ, મે બી યુ હેવ ગોટ અ વેરી સ્પેશીયલ ચાઈલ્ડ, વન ઈન અ મીલીયન ! હવે મારી વાત ધ્યાન થી સાંભળજો. તમારા માટે આ વાત પર બીલીવ કરવુ કપરુ હશે. પણ ગોપી ના ભૂતકાળ ની કોઈ એવી સ્મૃતિઓ છે કે જે તેને કનડી રહી છે  તેથી આપણે તેના ભૂતકાળ તરફ જવુ પડશે,.”

મોહનભાઈ હસતા હસતા બોલ્યા “ ડોક્ટર યુ નો કે ગોપી હજી માત્ર પાંચ જ વર્ષ ની છે.  એના આટ્લા અમથા ભૂતકાળ ની વળી એવી તે કઈ સ્મૃતિઓ હોઈ શકે કે જેને પરેશાન કરી શકે?  જે કાંઈ પૂછવુ હોય તે તમે મને પણ પૂછી શકો છો “ 

“ નહી મોહનભાઈ વાત જો આટલી જ સરળ હોત તો મારે તમને એમ કહેવુ જ ના પડત કે તમારે માટે બીલીવ કરવુ કઠીન હશે! હું ગોપી ના આ જીવન ના નહી એના ગયા જન્મ ના ભૂતકાળ ની વાત કરી રહ્યો છુ ! મારે ગોપી ને હિપ્નોટાઈઝ કરી ને એના અર્ધજાગ્રત મન માં પડેલા રહસ્યો ને ઉજાગર કરવા પડશે કે જેથી આપણ ને ગોપી ની આ બીમારી ની કોઈ કડી મળી શકે. “ 

મોહનભાઈ આ સાંભળી ઉકળી ઉઠ્યા “ વોટ રબીશ ડોક્ટર ! તમે એક ડોક્ટર થઈ ને આમ પુનર્જન્મ-બુનર્જન્મ જેવી વાહિયાત વાતો માં માનો છો? આઈ ડીડ નોટ એક્ષપેક્ટ ધીસ ફ્રોમ યુ પરીખ “
ડો. પરીખ શાંતિ થી મોહનભાઈ નો હાથ પકડી ને બોલ્યા “ ડોક્ટર છું તેથી જ માનુ છુ મોહનભાઈ. અલબત્ત મારી કરિયર માં આવો પ્રથમ કેસ છે પણ આવા ઘણા કેસ મેં વાંચ્યા- સાંભળ્યા છે.”  આમ કહી ડૉ. પરીખે તેમને આવા એક-બે કિસ્સા કહી સંભળાવ્યા. આ બધુ સાંભળી મોહનભાઈ અવાક થઈ ગયા.

“ ડોન્ટ વરી મોહનભાઈ, એમા ગભરાવા ની કાંઈ જ જરૂર નથી. કાલે તમે ગોપી ને અહીં લઈ આવો આપણે તેના સબકોંશીયસ માઈન્ડ માં ડોકીયુ કરી જોઈએ, એના સિવાય આ કેસ નો કોઈ ઉકેલ નથી જણાતો. “ 

શેઠ માત્ર “ભલે”  કહી ત્યાંથી ચાલી નીકળ્યા પરંતુ તેમના મન માં તો વિચારો નું ઘોડાપુર વહી રહ્યુ હતુ. એમને સૌથી મોટી ચિંતા હતી યમુનાબેન ને શું કહેવુ ઘરે જઈને? એમની દિકરી માત્ર એમની દિકરી નથી? તે કદાચ કોઈ ની મા, બાપ, ભાઈ કે દાદી પણ છે?! વિચારી ને પણ કેવુ વિચિત્ર લાગે છે? 

ઘરે પહોચી ને રાત્રે સુતી વખતે યમુનાબેન ને બધી જ વાત કરી. બન્ને આખી રાત સૂઈ ન શક્યા  અને તેમની ઢીંગલી ને પંપાળતા બેસી રહ્યા. તેમણે નક્કી કર્યુ કે ગમે તે થાય પણ આટલી નાનક્ડી બાળકી ના મન પર કોઈ પણ જાત નો તણાવ આપવો નહી ને બધુ જ ભગવાન ના ભરોસે છોડી દેવુ, સમય આવ્યે થતું જાશે પ્રભુ કરતાર છે ન્યારો ! 

ગોપી ધીરે ધીરે મોટી થવા લાગી. જોતા જ ગમી જાય તેટ્લી સુંદર ગોપી ને જોઈ કોઈ ને કલ્પના પણ ન આવે કે તેનુ નાનકડુ મન આખા બે જન્મારા સાથે જીવી રહ્યુ હશે!  હવે તેને દેખાતા ચહેરાઓ માં થોડી સ્પષ્ટતા આવવા લાગી હતી. ઘણીવાર તે ઉંઘ માં પરસેવે રેબઝેબ થઈ જતી અને અચાનક એક ચીસ સાથે જાગી ઉઠતી  “ મુકુંદ....... ” .

તેમના સગાવ્હાલા માં, પરિચિતો માં કે ગોપી ના ક્લાસ માં પણ કોઈ મુકુંદ નહોતો ! તો આ મુકુંદ હતુ કોણ? આ સવાલ હવે ગોપી નુ નાનકડુ મન પણ પૂછવા લાગ્યુ હતુ. તેણે એકાદવાર તેની મમ્મા ને પૂછવાનો પ્રયત્ન પણ કરી જોયો પણ કાંઈક સચોટ ઉત્તર ન મળવાથી અને તેના બાળમન ને ઝાઝી પરવા પણ ન હોવાથી વાત ઉડી જતી. 

આમ ને આમ બીજા 4 વર્ષ વીતી ગયા. ગોપીને રોજ સ્કૂલે મુકવા લેવા શેઠ ના વિશ્વાસુ ડ્રાઈવર સુલેમાનચાચા જતા જેઓ રોજ ગોપી ને છેક ક્લાસ ની અંદર બેસાડી આવતા અને પાછી લઈ જતા.   
એક દિવસ ગોપી ને ક્લાસ માં છોડી ને સુલેમાનભાઈ ગાડી ની સર્વિસ કરાવવા નીકળી ગયા. પાછા ફરતા એક અક્સ્માત ના લીધે ટ્રાફિક જામ હોવાથી તેઓ સમયસર સ્કૂલે ન પહોચી શક્યા. અહીં રોજ છૂટવાના સમયે સુલેમાનચાચા ને જોવા ટેવાયેલી ગોપી તેમને શોધતી છેક સ્કૂલ ની બહાર આવી. પહેલી જ વાર આમ એકલી બહાર નીકળેલી ગોપી બાળસહજ કુતુહલ વૃત્તિ થી બધુ જોતી જોતી રસ્તા ની ધારે ધારે ચાલવા લાગી. ચાલતા ચાલતા એક ગલી પર તેની નજર પડી અને ત્યાં જ ચોંટી ગઈ. જાણે વર્ષો થી ત્યાં જતી આવતી જતી હોય તેમ તે ગલી ને જોઈ રહી. અંદર થી કોઈ ખેંચાણ અનુભવતી હોય તેમ ચાવી ભરેલા રમકડા ની માફક ગોપી ચાલવા લાગી. સાવ અપરિચિત જગ્યા હોવા છતા જાણે તેને રસ્તા ની પાક્કી ખબર હોય તેમ તે એ  ગંધાતી અને સાંકળી ગલીઓ માં ચાલતી ચાલતી એક ખોલી ની સામે ઉભી રહી કોઈક ને શોધવા લાગી. ઓસરી માં બેઠેલા એક લઘરવઘર દારૂડિયા ને જોઈ ગોપી સહસા બોલી ઉઠી

 “ રઘલા.....  “ . રઘલો તેની નજીક આવીને ગંધાતા મોઢે બોલ્યો “ કુનુ કોંમ સ સોડી? “
ગોપી જાણે આવા ગંધાતા મોઢા ની વર્ષો ની આદત હોય તેમ બોલી “ રઘલા.... મુ ગજરી!!”
રઘલો તો તેને ફાટી આંખે જોઈ જ રહ્યો  “ બોલ સોડી કુનુ કોંમ સ?  
પણ ગોપી તો જાણે કોઈ બીજી જ દુનિયા માં વિચરતી હોય તેમ બોલી  “ આપડો મુકુંદ ચો સ? બૌ મોટો થૈ જ્યો અશે નઈ ? “ આ સાંભળી ને તો રઘલા ના તો હોશ અને દારુ બન્ને ઉડી ગયા. 

 અહીં ગોપી ઘરે ન પહોચતા, શેઠે ચારે તરફ ગાડી ઓ દોડાવી મુકી અને પોલીસ ને પણ કામે લગાડી દીધી. લોકો ને પુછતા પુછતા પોલીસે ગોપી કઈ તરફ ગઈ હતી તે શોધી કાઢ્યુ. શેઠ ને સાથે લઈ ને બધા રઘલા ની ખોલી આગળ આવી પહોચ્યા જ્યાં પહેલાથીજ આખો ભંગીવાસ એકત્રિત થઈ ચૂક્યો હતો. તકદીર નો આ કેવો તકાદો કે એક અબજોપતિ મિલ માલિક ચુસ્ત વૈષ્ણવ મોહનદાસ શેઠ આજે પોતાનુ શેઠપણુ ભૂલીને એક ની એક દીકરી ખાતર હરિજનવાસ માં ઉભા હતા. આ બધા થી અલિપ્ત ગોપી તો તેનાથી વરસેક મોટા એવા ગગલા નો  હાથ પોતાના હાથ માં લઈ ને વહાલપૂર્વક વાતો કરી રહી હતી. 

ઈનસ્પેક્ટર ગોહીલે રઘલા ને ઈશારા થી બોલાવ્યો. ગભરાયેલો રઘલો તો આવી ને સીધો ઈનસ્પેક્ટર ના પગે પડી ગયો.
“ મીં કોંઈ નહી કર્યુ સાહેબ. આ સોડી ન મું ઑંય નહી લાયો એ તો ઈની આપે જ હેંડતી હેંડતી ઑય આવી સ અન પાસી ઈમ કે સ.... ક.... એ મારી ગજરી સ ! “
ઈનસ્પેક્ટરે ગુસ્સા થી પુછ્યુ “કોણ ગજરી?”
 “ સાહેબ મારી બૈરી ગજરી, પેલા તોફાનો થ્યાતા ન ઈમાં દવાખોને લઈ જવા કોંઈ મલ્યુ નઈ ન ઘર માં જ મારા ગગલા ને જલમ આપતે આપતે મરી જ્યેલી ”.

શેઠ વાત ને સમજતા બોલ્યા “ જો રઘલા વિધી ના લેખ મજાક ની હદ સુધી નિરાલા હોય છે, આ મારી છોકરી ગોપી છે. તેને નાનપણ થી જ કાંઈક વિચિત્ર માનસિક બીમારી હતી. તે ઉંઘ માં થી અચાનક જાગી જતી અને કહેતી કે તેને વિચિત્ર ચહેરાઓ અને ગલીઓ દેખાય છે અને ઘણીવાર તો એ ‘મુકુંદ’ ના નામ ની ચીસ પણ પાડી ઉઠતી. અને....... “ 
  
શેઠ ની વાત ને વચ્ચે થી જ કાપતા રઘલો બોલ્યો, “ સાહેબ ઈમ નમ તો મું યે થોડો મોંનુ? પણ જ્યાણ મીં આ સોડી ના મુઢે મુકુંદ હોંભળ્યુ ન તારથી જ મું તો સક્કર ખઈ જ્યો! સાહેબ મારો ગગલો જ્યાણ ઈની મા ના પેટ મૉં છો-હાત મહીના નો માંડ અશે તારે ગજરી મન કેતી ક રઘલા આપડ આપડા આવનારા છોરા નું નોમ મુકુંદ રાખશુ. અન ઈન આપડી જ્યમ મજૂરી નઈ કરાઈએ, ઈન તો ભણાઈ ગણાઈ ને મોટો સાહેબ બનાઈશુ.  એ વાત તો શેઠ જઈ ગજરી ભેગી લાકડોં મોં, મીં નહી તો ગગલા નું નોમ મુકંદ પાડ્યુ ક નહી તાર પસ એ વાત કોઈ ન કરી, તો સાહેબ આ આવડી અમથી સોડી ન એ ચોં થી ખબર પડી ? સાહેબ તમે મોંનો ક ના મોંનો પણ આ સોડી હો ટકા ગયા જલમની મારી ગજરી ! “

 શેઠ કાંઈ પણ બોલ્યા વગર આ બધુ જ જાણે સ્વીકારમૂલક શાંતિ થી સાંભળી રહ્યા. પણ ઈંસ્પેકટર તો આ સાંભળ્યા કરતા પણ વધુ એક પીધેલા ચીંથરેહાલ દારુડીયા નો નર્યો બકવાસ સાંભળ્યા છ્તાં ચુપ રહેલા શેઠ ને જોઈ આશ્ચર્ય પામ્યા. તેઓ રઘલા ને કાંઈક બોલવા જ જતા હતા ત્યાં જ એક બત્રીસ પાંત્રીસ વર્ષ ની એક સ્ત્રી મોહનદાસ શેઠ ને જોઈ બોલી,  
“ સાહેબ તમારી હવેલી તો પેલા ટેકરા વારી જ ન ? “ મોહનલાલે હકાર માં ડોકુ હલાવ્યુ. પેલી સ્ત્રી એ આગળ ચલાવ્યુ. “ મું અન ગજરી બેય જણીઓ તમાર ટેકરે ઝાડુ વારવા આવતા તારની એ જ્યાણ પણ તમારી હવેલી જોતી એટલી વાર કે’તી ક બર્યુ આ આયખુ ! આખો જન્મારો લોકો ની વેઠો જ કરવાની ? આ હવેલી મૉં રે’વા વારા ન ચેવુ સુખ નઈ ? એય ને મોટી મોટી ગાડીઓ મોં ઘુમવાનુ ને મ્હેલો મોં રે’વાનુ, ભગવોન.....આપડ ચ્યારે આવુ સુખ પોમીશુ હેં ’લી?? સાહેબ ભગવોને ગજરી ની વાત હોંભરી હોં “.

શેઠ આ સાંભળી થોડીવાર આકાશ સામુ જોઈ રહ્યા! 

શેઠ અને ઈંસ્પેક્ટર માંડ માંડ બધાને સમજાવી બહેલાવી ગોપી ને ત્યાંથી ઘરે લાવવા માં તો સફળ થયા પણ હવે શુ? જે દિવસ ની શેઠ ને વર્ષોથી બીક હતી તે પૂરો થવામા હતો. પણ ભંગીવાસ માંથી ઘરે આવતી વખતે શેઠ નું કાંઈક અમૂલ્ય જાણે ત્યાં જ છૂટી ગયુ હતુ. સૂર્યાસ્ત સાથે જાણે શેઠ નું પણ કંઈક અસ્ત થયુ હતુ. 

શેઠ અને ગોપી ઘરે પહોચતા યમુનાબેને સૌથી પહેલુ કામ ગોપી ને ઝારી જી નું જળ છાંટી ’પવિત્ર’ કરવાનુ કર્યુ. આ જોઈ રહેલા મોહનદાસ ને વિચાર ઝબકી ગયો કે આ વીધી ગોપી ને પવિત્ર કરવા થઈ રહી છે કે યમુના ના મન ને! ગોપી ને તો કોઈ અપવિત્રતા સ્પર્શી જ નહોતી શકી કારણ કે તેને આ ‘પવિત્રતા’ ની જ ક્યાં ખબર હતી? તો શુ આ બધી ‘ધાર્મિક’ વાતો ખાલી માણસ ના મન ને રાજી કરવા જ હતી? યમુના ને મન ભંગીવાસ સૌથી અપવિત્ર જગ્યા હતી તો એ અપવિત્રતા મહેસૂસ કરતી હતી અને ગોપી ની આંખો માં તો પોતાના દીકરા ને મળવા નો આનંદ જ સમાતો નહોતો! તો શું........ આંખો પર ઝારીજી ના જળ નો છંટકાવ થવાથી મોહનદાસ ની વિચારમાળા તૂટી ગઈ. પાછો એ જ પ્રશ્ન : હવે શુ? 

આજે જિંદગી માં પ્રથમવાર યમુનાબેને ગોપી ને પોતાની સાથે નહીં પણ તેના પોતાના બેડરુમ મા સુવાડી! 

બીજા દિવસે સ્કૂલે જતા ગોપી એ યમુનાબેન ને પૂછ્યુ “ મમ્મા હું આજે મુકુંદ ને મારી સાથે ઘરે રમવા  લઈ આવુ? યમુનાબેન માત્ર “ ના “ એટલું જ બોલી શક્યા. ગોપી કારણ પૂછે તે પહેલા જ તેમણે ગોપી ને કાર મા બેસાડી દીધી. સુલેમાનચાચા ને કહી દેવામા આવ્યુ કે સ્કૂલ સિવાય ગોપી ને ક્યાંય એકલી ન મુકવી અને તેને “ પેલા વાસ” તરફ ના રસ્તે થી સ્કૂલે પણ ન લઈ જવી. 

આમ ને આમ અઠ્વાડીયુ વીતી ગયુ. ગોપી ના નિર્દોષ પણ દઝાડી મુકે એવા પ્રશ્નો થી યમુનાબેન પરેશાન થઈ ગયા હતા. તો મોહનદાસ ને ગોપી ના સહેલા પ્રશ્નો છેક ધર્મ અને સમાજવ્યવસ્થા ના મૂળ ઉપર થતા પ્રહારો જેવા લાગતા.
એક સાંજે જ્યારે મોહનદાસ મીલે થી ઘરે આવ્યા ત્યારે સામે જ ગંભીર બની બેઠેલી ગોપીને  જોઈ. પાસે જઈ પ્રેમ થી માથે હાથ ફેરવતા બોલ્યા
“ શું થયુ બેટા ? મમ્મા એ કાંઈ કહ્યુ મારી ઢીંગલી ને ?”
ગોપી એ સામે પ્રશ્ન કર્યો “ ડેડી તમે મને એક દિવસ નહોતા કહેતા કે દાદાજી એ તમારુ નામ ગાંધીજી ના નામ પર થી પાડ્યુ છે?” 


મોહનદાસે ગર્વભેર કહ્યુ “ હા બેટા, દાદાજી તો સ્વાતંત્ર્યસેનાની હતા. ગાંધીજી ના સિધ્ધાંતો ઉપર તેઓ આખુ જીવન જીવ્યા હતા. અમને પણ તેઓ તેવુ જીવવા ની પ્રેરણા આપતા હતા. હું તેમનો સૌથી લાડકો હતો તેથી જ મારુ નામ તેમણે તેમના આદર્શ ઉપરથી..... “
ગોપી એ ડેડી ની આંખો માં જોઈ વચ્ચે જ પૂછ્યુ,  “ આજે અમારી સ્કૂલ માં ગાંધીજી ની એક ફિલ્મ બતાવી. તેમાં તે મોહનદાસ તો હરિજન છોકરાઓ સાથે રમતા, જમતા અને તેમના જ ઘરે રહેતા પણ હતા. છ્તા તેઓ ને સૌ બાપુ અને રાષ્ટ્રપિતા કેમ કહે છે?    
  
મોહનદાસ શેઠ ની આંખો શરમ થી ઢળી પડી.

- ચિંતન પટેલ